જય શ્રી કૃષ્ણ 🙏
દરેક બાળક પોતાની અંદર એક અદભુત દિવ્યતા અને વિશિષ્ટતા લઈને જન્મે છે. જ્યારે આ બાળપણને પ્રકૃતિના ખોળે અને માતૃવાત્સલ્ય ધરાવતા શિક્ષકોનો સાથ મળે છે, ત્યારે તે સંપૂર્ણતા સાથે ખીલી ઉઠે છે. ‘શાર્દુલ’ એક એવી જ શિક્ષણ પ્રણાલી છે, જે ‘શાલીન કુટુંબ, પારિવારિક શાળા’ ના મંત્રને આત્મસાત કરીને આપના બાળકને સર્વગ્રાહી વિકાસની તક પૂરી પાડે છે.
માતા-પિતા દ્વારા ચાલતી ઋષિ પરંપરાની આ ધરોહરમાં જોડાવાના આપના નિર્ણયને અમે આવકારીએ છીએ. રૂબરૂ મુલાકાત વધુ ફળદાયી બની રહે તે હેતુથી, કૃપા કરીને નીચે આપેલું ફોર્મ ભરીને આપની પ્રાથમિક વિગતો જણાવશો.
ઇતિ શુભમ,
ઉત્કર્ષ પટેલ (સંયોજક, શાર્દૂલ પરંપરા)